Sunday, March 18, 2012

18-03-2012

**************************
જે દુઃખનો કોઈ ઉપાય જ ન હોય એને જે વીસરી શકે એ જ માણસ ડાહ્યો..!!
**************************
સવાલઃ અમુક નેતાઓ લાંબા ગાળા સુધી રાજકારણમાં ટકી રહે છે એનું કારણ શું?
જવાબઃ કારણ છે પ્રજાની ટૂંકી યાદદાસ્ત..!!
**************************
રોગ, વૃદ્ધાવસ્થા અને આપત્તિ પાછળ પડે છે ત્યારે જ માણસ ઈશ્વરની પાછળ પડે છે..!!
**************************
ટોળામાં ક્યારેય કોઈને સલાહ આપવી નહીં..!!
**************************
તમારી પાસે એક ફોન હોય તો એને જરૂરિયાત કહેવાય. તમે બે ફોન ધરાવતા હો તો એને ઐયાશી કહેવાય. ત્રણ ફોન હોય તો ઐશ્વર્ય ગણાય અને હા, જો તમારી પાસે એક પણ ફોન ન હોય તો તમારા જેવો ભાગ્યશાળી કોઈ ન કહેવાય..!!
**************************