Tuesday, March 13, 2012

13-03-2012

કેટલાક લોકોની જિંદગી ભીંજાઈ ગયેલી રજાઈ જેવી હોય છે, જે ઠંડીના (અર્થાત્ દુઃખદાયક) દિવસોમાં ન તો ઓઢી શકાય કે ન તો એને ગડી વાળીને એક કોરે મૂકી શકાય..!!
**************************
સુખ બધાને ગમે, પણ આ સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે એ આપણને લાંબો સમય સુધી સાથ આપતું નથી. એ સદાય બેવફા રહે છે..!!
**************************
કાયદા-કાનૂન કરતાં વધારે શક્તિ અને દલીલ કરતાં વધારે પ્રભાવશાળી તર્ક કોની પાસે હોય છે? - નારી પાસે... એની આંખ અને એનાં આંસુમાં..!!
**************************
લાવો... લાવો... વધુ લાવો અર્થાત્ લોભ એક એવો દરિયો છે, જેમાં સચ્ચાઈ અને ઈજ્જત બંને છેક પાતાળ સુધી ડૂબી જાય છે..!!
**************************
ચૂંટણી નિમિત્તે વિખ્યાત હિંદી કવિ સુરેન્દ્ર શર્માએ આજકાલના રાજકારણીઓ પર રચેલી આ કાવ્યપંક્તિ એલચી રૂપે... કવિ કહે છેઃ એક નેતા કહીં ખો ગયા હૈ, લગતા હૈ સાલા આદમી બન ગયા..!!