| ************************** |
| મોટા ભાગના નેતાઓ સત્યને બહુ જ અમૂલ્ય મૂડી ગણતા હોવાથી એ મૂડીનો આ લોકો બહુ જ કંજૂસાઈથી ઉપયોગ કરે છે..!! |
| ************************** |
| આપણા ખરા લક્ષ્ય પરથી નજર હટાવી લઈએ અને પછી જે દેખાય એનું નામ નડતર..!! |
| ************************** |
| ગુજરાતીઓના બે ગુણની તોલે કોઈ ન આવે. એક તો આ પ્રજાને લખવાનો બહુ શોખ. અલબત્ત, ચેક લખવાનો... એ જ રીતે આપણા ગુજરાતીઓને વાંચવાનોય એવો શોખ. અફ કોર્સ, બેન્કની પાસબુક વાંચવાનો..!! |
| ************************** |
| પીઢ રાજનીતિજ્ઞ ચાણક્યને કોઈએ પૂછ્યું: દુર્જન વ્યક્તિ અને ઝેરીલા સર્પ વચ્ચે પસંદગી કરવાની હોય તો તમે કોને પસંદ કરો? ચાણક્યે કહ્યું: સર્પ! પેલાએ આશ્ચર્યથી પૂછ્યું: કેમ? ચાણક્યે મલકીને જવાબ આપ્યોઃ સર્પ તો ક્યારેક ડંસે, પણ દુર્જન તો ડગલે ને પગલે કરડીને ઝેર કરતાંય બદતર દુઃખ પહોંચાડે..!! |
| ************************** |
| જે લોકો જરાઅમથી વાત પર અ-મિત્ર થઈ જાય એ લોકો ક્યારેય સારા મિત્ર બની ન શકે..!! |
| ************************** |