Monday, April 6, 2015

06-04-2015

ज़िन्दगी के पाँच सच ~
सच नं. 1 -: माँ के सिवा कोई वफादार नही हो सकता…!!! ────────────────────────
सच नं. 2 -: गरीब का कोई दोस्त नही हो सकता…!! ────────────────────────
सच नं. 3 -: आज भी लोग अच्छी सोच को नही, अच्छी सूरत को तरजीह देते हैं…!!! ───────────
सच नं. 4 -: इज्जत सिर्फ पैसे की है, इंसान की नही…!!! ────────────────────────
सच न. 5 -: जिस शख्स को अपना खास समझो…. अधिकतर वही शख्स दुख दर्द देता है…!!!l

*****************************************************

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.
નકામો શોધશો નાં, બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.
પ્રભુને માત્ર મારે એટલું પુછવું,
ગરીબોને કદી ઈશ્વર નથી મળતો.?
હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ, શાયર નથી મળતો.
અરીસામાં નહી શોધો તમે
માણસ, બહારે હોય, એ અંદર નથી મળતો.

************************************************

"जेनी पासे ओछु छे तेने कोई
   पण सुखी करी सके छे..
            ..परंतु..
   जेने ओछु ज पड़े छे तेने
            ..ईश्वर..
पण सुखी करी शकतो नथी.."


**********************

તમે મન મૂકી વરસો,
ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ,
માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
- ભવદીપ સંઘવી

*******************************