Thursday, January 16, 2020

Whatsapp Collection 28

તમારું સૌથી મોટું નુકસાન કોણ કરે છે?

લાઉડમાઉથ : સૌરભ શાહ (ના લેખને થોડો ટૂંકાવીને)

તમારું સૌથી મોટું નુકસાન કોણ કરતું હોય છે? તમારી જે સૌથી વધુ નજીક હોય છે એ લોકો અથવા તમે જેમને તમારી નજીક આવવા દો છો એ લોકો.

આપણી નજીકના જે લોકો આપણું નુકસાન કરી જાય છે એમનો ઈરાદો એવો નથી હોતો કે ચાલો આપણે એમની નજીક જઈએ અને પછી નુકસાન કરીએ. એવું પણ થતું હોય છે ક્યારેક જ્યારે નુકસાન કરવાના ઈરાદાથી કોઈ નજીક આવે, તમારો વિશ્વાસ જીતી લે, પછી અગાઉથી નક્કી કર્યા મુજબ તમારું નુકસાન કરીને પોતાની જાત દેખાડે. પણ એ અલગ મુદે થયો.

તમારા પાર્ટનર, લાઈફ પાર્ટનર કે તમારા સગાં જેમ કે કાકા, મામા, ફોઈ, માસી, પિતા, માતા, સંતાનો કે પછી એકદમ નજીકના કે ખૂબ જૂના મિત્રો-પાડોશીઓ કે પછી સગા કરતાં પણ તમે જેમને વિશેષ ગણ્યા હોય એવા ઓફિસ ક્લીગ્સ અથવા અન્ય કોઈપણ એવી વ્યક્તિ જેમની સાથે તમારે ગાઢ આત્મીયતા થઈ ગઈ હોય જેમની કંપની વિના તમને ચેન ન પડતું હોય એવા લોકો આપણા સૌના જીવનમાં હોવાના જ.

આમાંની જ કોઈ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરે છે ત્યારે એમનો ઈરાદો વિશ્વાસઘાત કરવાનો નથી હોતો. તમારી નિકટ આવવાનું કારણ તમારો ફાયદો ઉઠાવવાનું કે તમારી સાથે દગો કરવાનું નથી હોતું. પણ વખત જતાં આમાંનું કોઈક પ્રિસાઈસલી એવું કંઈક કરે છે જેને તમે વિશ્વાસઘાત કે દગા સિવાય બીજું કોઈ નામ ન આપી શકો. પણ એમના માટે એ મજબૂરી હોય છે. એ કોઈક એવી પરિસ્થિતિમાં મૂકાયા હોય છે જેને કારણે એ કંઈક એવું કરી બેસે છે.

તો હવે શું કરવું? જિંદગીમાં કોઈના પર વિશ્વાસ જ ન મૂક્વો? એ તો ખોટું કહેવાય. પરસ્પરના વિશ્વાસ વિના જિંદગી આગળ વધી જ ન શકે. સતત શંકાશીલ બનીને જીવવા કરતાં તો મોત ભલું. આજુબાજુની દરેક પ્રિય વ્યક્તિને શંકાની નજરે જોતાં થઈ જઈશું તો જીવન ઝેર બની જશે. વિશ્વાસ તો મૂક્વો જ પડે.

વિશ્વાસ મૂક્વામાં અને આપણા જીવનની લગામ કોઈકને સોંપી દેવામાં જમીન આસમાનનું અંતર છે. તમારા જીવનનું સ્ટિયરિંગ તમારા અને એક માત્ર તમારા જ હાથમાં હોવું જોઈએ. તમારા જીવનની ગતિ, દિશા અને મંઝિલ પર એકમાત્ર તમારો પોતાનો જ કંટ્રોલ હોવો જોઈએ. હવે જોઈએ કે વિશ્વાસ મૂક્વો એટલે શું.

સૌથી મોટો ભરોસો તો આપણને ભગવાન પર કહો કે કુદરત પર હોવો જોઈએ કે એ આપણા માટે જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે અને આપણું ભલું કરવા માટે જ એણે આપણને ગમતા, આપણે જેમને ચાહીએ છીએ એવા આપણી આસપાસ લોકોને બનાવ્યા છે. આ બધા જ પ્રિયજનો આપણી જિંદગી ક્યારેક ટપકું તો ક્યારેક પીપડું ભરીને સુખ, આનંદ અને હર્ષની પળો લાવીને આપણને સમૃદ્ધ કરતાં હોય છે. બદલામાં આપણે પણ આપણા ટાઈમ એનર્જી અને મની એમના માટે ખર્ચીને સદ્ભાવનો બદલો સદ્ભાવથી આપએ છીએ.

હવે આવામાં કોઈની મતિ ફરે, કોઈની પરિસ્થિતિ બદલાય કે પછી એના પર બીજા કોઈ વધારે મહત્ત્વની વ્યક્તિ તરફથી પ્રચંડ દબાણ આવે ત્યારે એ ના છૂટકે વિશ્વાસઘાતી બને અને તમારી સાથે દગો કરે ત્યારે શું કરવું?

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. કોઈ વિશ્વાસઘાતી બની શકે એવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવાનું કામ તમારું છે. કેવી રીતે?

આળસમાં કે બેદરકારીમાં આપણે આપણા જીવનની લગામ બીજાના હાથમાં સોંપી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે હું એમને કેટલો પ્રેમ કરું છું, એમના પર મને કેટલો ભરોસો છે તેના પુરાવારૂપે મેં મારી લગામ એમના ભરોસે સોંપી દીધી છે. આ આપણો એસ્કેપ છે. પોતાના જ પગ પર કુહાડો મારવો આને કહેવાય. જિંદગીને એ હદ સુધી ક્યારેય ન લઈ જવી જ્યાં આપણું અસ્તિત્ત્વ કોઈ બીજાના હાથમાં હોય. કોઈકે આપણને આપણા કપરા કાળમાં સાચવી લીધા હોય એના બદલામાં ઋણ સ્વીકારરૂપે આપણે સમગ્ર જીવનની લગામ એના હાથમાં મૂકી દેવાની ભૂલ કરતા હોઈએ છીએ. સામેની વ્યક્તિની ઈચ્છા ન હોય, ક્યારેક તો સ્પષ્ટ નામરજી હોય તોય આપણે એમના પર વધુ પડતા વિશ્વાસનો બોજો નાખી દેતા હોઈએ છીએ.

આવું નહીં કરવાનું. વિશ્વાસ દરેક પર રાખવાનો પણ કોઈના વિના પરવશ થઈ જઈએ કે અપંગ બની જઈએ એ રીતે જિંદગી નહીં ગોઠવવાની. ન કરે નારાયણ ને પેલી વ્યક્તિ આ દુનિયામાં રહી જ નહીં તો? તો વગર વિશ્વાસઘાતેય તમારી જિંદગી તો પડી ભાંગવાની ને? માટે જ કોઈના પર એટલા બધા ડિપેન્ડન્ટ ન રહેવું કે એ તમારી જિંદગીને કંટ્રોલમાં લઈ શકે. એમના વિના તમારી જિંદગી શૂન્ય બની જાય. પગભર બનવું આત્મનિર્ભર રહેવું. એક કરતાં વધુ સિસ્ટમો ઊભી કરવી જેથી એક ખોટકાય તો તાબડતોબ બીજી કાર્યરત થાય અને જિંદગી વણથંભી ચાલ્યા કરે.

તમારી પાસે રોજબરોજની જિંદગી જીવવા માટે લેયર્સવાળી વ્યવસ્થા હોવી જોઈએ. જેથી કોઈ એકના પર તમારે સમગ્રપણે નિર્ભર રહેવું ન પડે.

– સાયલન્સ પ્લીઝ!

રોજ સવારે ઊઠીને આજે શું કામ કરવાનો મૂડ છે, મૂડ છે કે નહીં- એવું બધું વિચારવાને બદલે ઊભા થઈને કામે લાગી જવાનું. જિંદગી સાચી રીતે જીવવાનો. નિયમિત પણે જીવવાનો આ જ એકમાત્ર રસ્તો છે.

– આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
************************
" मैं हैरान हूँ "
 — महादेवी वर्मा,
(इतिहास में छिपाई गई एक कविता)

'' मैं हैरान हूं यह सोचकर ,
किसी औरत ने क्यों नहीं उठाई उंगली ? 
तुलसी दास पर ,जिसने कहा ,
"ढोल ,गंवार ,शूद्र, पशु, नारी,
ये सब ताड़न के अधिकारी।"

मैं हैरान हूं ,
किसी औरत ने
क्यों नहीं जलाई "मनुस्मृति"
जिसने पहनाई उन्हें
गुलामी की बेड़ियां ?

मैं हैरान हूं ,
किसी औरत ने क्यों नहीं   धिक्कारा ? 
उस "राम" को
जिसने गर्भवती पत्नी सीता को ,
परीक्षा के बाद भी
निकाल दिया घर से बाहर
धक्के मार कर।

किसी औरत ने लानत नहीं भेजी
उन सब को, जिन्होंने
" औरत को समझ कर वस्तु"
लगा दिया था दाव पर
होता रहा "नपुंसक" योद्धाओं के बीच
समूची औरत जाति का चीरहरण ?
महाभारत में ?

मै हैरान हूं यह सोचकर ,
किसी औरत ने क्यों नहीं किया ?
संयोगिता अंबा -अंबालिका के
दिन दहाड़े, अपहरण का विरोध
आज तक !

और मैं हैरान हूं ,
इतना कुछ होने के बाद भी
क्यों अपना "श्रद्धेय" मानकर
पूजती हैं मेरी मां - बहने
उन्हें देवता - भगवान मानकर?

मैं हैरान हूं,
उनकी चुप्पी देखकर
इसे उनकी सहनशीलता कहूं या
अंध श्रद्धा , या फिर
मानसिक गुलामी की पराकाष्ठा ?''

* महादेवी वर्मा जी की यह कविता, किसी भी पाठ्य पुस्तक में नहीं रखी गई है, क्यों कि यह भारतीय  संस्कृति पर गहरी चोट करती है...! #
**********************
Good afternoon. Good Day. 😊🌹
  ક્ષણ છોડી ને ,
 સદી માં  શોધું છું!
ખોવાયેલી નાવ ,
નદીમાં શોધું છું !!

છે બધું  છતાં  કેમ,
ખૂટે છે કશુ ?
સુખના કારણો,
અતીતમાં શોધું છું !!

સમાયું બધુંએ ,
શૂન્યમાં  જાણું છું!
તોય જુઓ બધું ,
અતિમાં શોધું છું !!

ભટક્યા કરે છે મન ,
આદતોને વશ !
તેનાં  બહાના ,
સપ્તપદીમાં શોધું છું !!

હશે ચોક્કસ કારણો ,
 મારા જ છતાં !
કારણો વિફળતા,
નિયતિમાં શોધું છું !!

થવાય જો સ્થિર ,
 તો તે સહજ મળે !
ટેવ, વશ,લક્ષ્ય ,
હું  ગતિમાં  શોધું છું !!

હાં કેટલો સ્વાર્થી છું ,
હું પણ જુઓને !
ઈશ્વરને  પણ હું ,
આપત્તિમાં શોધું છું !!!
***************
🧡🧡🧡🧡माँ की वो रसोई🧡🧡🧡🧡

मेरी माँ की वो रसोई..
जिसको हम किचन नहीं
चौका कहते थे
माँ बनाती थी खाना
और हम उसके आस पास रहते थे

माँ ने
उस 4x4 के कोने को
बड़े सलिखे से सजाया था
कुछ पत्थर और कुछ तख्ते जुगाड़ कर
एक मॉडुलर किचेन बनाया था

माँ की उस रसोई में
खाने के साथ प्यार भी पकता था
कोई नहीं जाता था दर से खाली
वो चूल्हा सबका पेट भरता था

माँ कभी भी बिन नहाये
रसोई में ना जाती थी
कितनी भी सर्दी हो गहरी
माँ सबसे पहले उठ जाती थी
जो भी पकता था रसोई में
माँ भगवान् का भोग लगाती थी
फिर कही जाकर
हमारी बारी आती थी

उस सादे खाने में
प्रसाद सा स्वाद होता था
पकता था जो भी
बहुत ज्यादा, उसमें प्यार होता था

पहली रोटी गाय की
दूसरी कुत्ते के नाम की बनती थी
कंही कोई औचक आ गया द्वारे
ये सोच
कुछ रोटियाँ बेनाम भी पकतीं थीं

रसोई के उन चद डिब्बोँ और थैलों में
ना जाने कितनी जगह होती थी
भरे रहते थे सारे डिब्बे
चाहे कोई भी मंदी होती थी

कुछ डिब्बे चौके के
महमानों के आने पर ही खुलते थे
और हम सारे के सारे
रोज उन डिब्बों के इर्द गिर्द ही मिलते थे

हर त्यौहार करता था इन्तेजार
हर बात कुछ ख़ास होती थी
कभी मठ्ठी कभी गुंजिया
कभी घेबर की मिठास होती थी

माँ सबको गर्म गर्म खिलाकर
खुद सारा काम कर
आखिर में अक्सर खाती थी
सबको परोसती थी ताज़ा खाना वो
उसके हिस्से अक्सर बासी रोटी ही आती थी

बहुत कुछ बदला माँ के उस चौके में
चूल्हा स्टोव और फिर गैस आ गयी
ढिबरी लालटेन हट गयीं सारी
और फिर रोशन करने वाली टूब लाइट आ गयी

#नहीं बदला तो माँ के हाथों का वो अनमोल स्वाद
जो अब भी उतना ही बेहिसाब होता है
कोई नहीं दूर तक मुकाबले में उस स्वाद के
वो संसार में सबसे अनोखा और लाजवाब होता है

अब भी अक्सर
माँ का वो पुराना चौका
बहुत याद आता है
अजीब सा सुकूं भरा एहसास होता है
मुँह और आँख दोनों में पानी आ जाता है!!

मेरी माँ की वो रसोई..
जिसको हम किचन नहीं
चौका कहते थे
माँ बनाती थी खाना
और हम उसके आस पास रहते थे.
***********************
•°•°•°•°•🌟•°•°•°•°•
    । | અફસોસ | ।

મળી ગયાં શબ્દો પણ...
આકાર આપવાનું રહી ગયું...!
બીજાંને કહેતો રહ્યો ને...
ખુદને જગાડવાનું રહી ગયું...!

રચ્યોપચ્યો રહ્યો...
માયા, મમતા'ને લોભમાં
બધાંની ઓળખાણો કાઢી
આત્માને ઓળખવાનું રહી ગયું...!

દોડતો રહ્યો છું
રાત દિ' સદા સ્વાર્થ માટે...
પરમાર્થ જ પાર પાડશે
એ વાત જાણવાનું રહી ગયું...!

બધાં સંબંધ છે
જન્મથી મૃત્યુ સુધીનાં...
ખબર હોવાં છતાં
મનને સમજાવવાનું રહી ગયું...!

અંધ બની ભાગતો રહ્યો
દોલત પાછળ સદા...
માયા માટી છે ખબર હતી
છતાં ચેતવાનું રહી ગયું...!

પૂજ્યા ઘણાં મેં દેવ
પથ્થર તણાં ચારેકોર...
અંતર માં બેઠેલાં ભગવાનને
ધ્યાન માં લેવાનું રહી ગયું...!

અંતે એક વાતનો
અફસોસ રહી ગયો જીવનમાં
આવ્યાં હતાં માનવ દેહમાં 'ને...!
માણસ બનવાનું રહી ગયું...!
***************