Friday, September 23, 2016

23-08-2016

લોકો કહે છે હું એક સફળ માણસ છું.
 સફળ માણસો ભોળા નથી હોતા.
 એક દોસ્તે તો ત્યાં સુધી કહ્યું,
 કે સફળ માણસો ભ્રષ્ટાચારથી મુક્ત નથી હોતા.

માણસ કદી વ્યાખ્યામાં બંધાતો નથી
માણસ કદી વિશેષણથી સંધાતો નથી.
સફળતા અને નિષ્ફળતા
જિંદગીની કિતાબમાં બહુબહુ તો
હાંસિયામાં લખવા જેવી વાત છે.

મને જિંદગીને ખાનામાં ગોઠવવી ગમતી નથી.
સફળ નિષ્ફળ ગરીબ શ્રીમંત
લોકપ્રિય સ્વભાવશત્રુ...
આ બધા ખાનાંઓ છે.
માણસને ઓળખતાં નથી હોતાં છતાંયે
માણસને ઓળખીએ છીએ એવા
દાવાઓ અને બહાનાંઓ છે.

સમાજની સફળતાની વ્યાખ્યાઓ
સગવડથી હરીભરી હોય છે.
સમાજ નામનું એક યંત્ર છે,
એ યંત્રમાં તમે સ્ક્રૂ થઈને ગોઠવાઈ જાઓ,
ક્યાંય કશો આક્રોશ કે વિરોધ કરો નહીં
તો સમાજ પોતાની સફળતા ખાતર
તમને સફળ માણસ તરીકે ઓળખાવશે.

હા, હું સફળ માણસ છું.
મુંબઈ જેવા શહેરમાં રહીને પણ
કવિતા સાથે નાતો રાખવો
એ એક સફળતા જ ગણાય.
મને સફળ કહેનારા માણસોને
હું કવિતાથી જીવું છું એમાં રસ નથી;
પણ કોઈ કવિ કફ પરેડ પર રહે એનું આશ્ચર્ય છે.

કફ પરેડ પર રહેનારો માણસ પણ
ભીતરથી યક્ષ હોઈ શકે:
રામગિરિના આશ્રમોમાં ભટકતો હોય એવો.
લોકોને બહારના પોશાકમાં જેટલો રસ હોય છે
એટલો ભીતરના એક્સ-રેમાં નથી હોતો;
અને ભીતરના એક્સ-રે આપણે જ જાળવવાના હોય છે.
જહાંગીર આર્ટ ગૅલેરીમાં એનું પ્રદર્શન ભરવાનું નથી હોતું.

લોકો તો બહારથી તમને માપે છે,
અંદરથી તમને શાપે છે,
તમારા પર ચોકીપહેરાની નજર રાખે છે.
તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ છો.
છાશવારે દિલ્હી, કલકત્તા, બેંગ્લોર
ઍર-બસમાં દોડો છો,
એ બધાંને આધારે એક સર્ટિફિકેટ ફડાય છે
કે તમે સફળ માણસ છો,

અને સફળ માણસો ભોળા નથી હોતા.
મને કોઈ ભોળો કહે એમાં સ્હેજ પણ રસ નથી.
હું તો પ્રામાણિકપણે માનું છું કે કવિઓ ભોળા નથી હોતાં.
કવિઓ ભોળા હોય એ તો એક રોમેન્ટિક કન્સેપ્ટ છે.

શું વ્યાસ ભોળા હતા? જેમણે મહાભારત રચ્યું,
એ વ્યાસને ભોળા કેમ કહેવાય?
કવિ તો દુનિયા અને દુનિયાદારી બંનેને જાણે.
શું વાલ્મીકિ ભોળા હતા?
એ તો રામ અને રાવણ બંનેને જાણે.


નથી હું વ્યાસ કે નથી હું વાલ્મીકિ
નથી હું ટાગોર કે નથી હું ઉમાશંકર
અને છતાંયે હું 'હું' છું
એનું જ મને ગૌરવ છે.

મેં પણ મારી રીતે દુનિયાને જાણી છે.
ક્યારેક મારા હૃદયમાં વૃંદાવન રચાયું છે
તો ક્યારેક મારા હૃદયમાં કુરુક્ષેત્ર.
ભલેને રામાયણ ન લખ્યું હોય,
પણ ક્રૌંચવધની વ્યથા અનુભવી છે.


જ્હૉન બેરીમેન કે સિલ્વીયા પ્લાથની જેમ
મેં આપઘાત ભલે ન કર્યો હોય
પણ હું પણ ઘણી વાર અનુભવું છું
કે Dying is an art.

મને પણ ઘણી વાર એમ થાય છે
કે મારે મારા મરણનો યશ
મરણને ન આપવો જોઈએ,
પણ મારે કર્તા થવું છે.

મને તો ઘણી વાર એવું લાગે છે
કે હું મરણ પાસેથી
ઉછીના દિવસો લઈને
જીવી રહ્યો છું.

મારી ઇચ્છા પ્રમાણે હું મરી શકું
તો તમે મને
સફળ માણસ કહેજો.

મારી ઇચ્છા પ્રમાણે
હું જીવી તો નથી શક્યો
પણ સમાજની ઇચ્છા પ્રમાણે જીવું છું.
અને આ રીતે જીવતા માણસને તમારે
સફળ કહેવો હોય તો
મને કશો વાંધો નથી.

- સુરેશ દલાલ  🌻
*************************
ये वाला मस्त है। पूरा पढ़ो
😀😀😀😀😀😀
👇👇👇👇👇👇👇

अध्यापक : बच्चों रामचंद्र ने समुन्द्र पर पुल बनाने का निर्णय
लिया ।
पप्पू : सर मैं कुछ कहना चाहता हूँ ।
अध्यापक : कहो बेटा ।
पप्पू : रामचन्द्र का पुल बनाने का निर्णय गलत था ।
अध्यापक : कैसे ?
पप्पू : सर उनके पास हनुमान थे जो उड़कर लंका जा सकते थे ।
तो उनको पुल बनाने की कोई जरुरत ही
नही थी ।
अध्यापक : हनुमान ही तो उड़ना जानते थे बाकि
रीछ और वानर तो नही उड़ते थे ।
पप्पू : सर वो हनुमान की पीठ पर बैठकर
जा सकते थे । जब हनुमान पूरा पहाड़ उठाकर ले जा सकते थे तो
वानर सेना को भी तो उठाकर ले जा सकते थे ।
अध्यापक : भगवान की लीला पर सवाल
नही उठाया करते ।
पप्पू : वैसे सर एक उपाय और था ।
अध्यापक : क्या ?
पप्पू : सर हनुमान अपने आकार को कितना भी छोटा
बड़ा कर सकते थे जैसे सुरसा के मुँह से निकलने के लिए छोटे हो
गए थे और सूर्य को मुँह में देते समय सूर्य से बड़े तो वो अपने
आकार को भी तो समुन्द्र की चौड़ाई से बड़ा
कर सकते थे और समुन्द्र के ऊपर लेट जाते । सारे बंदर हनुमान
जी की पीठ से गुजरकर लंका
पहुँच जाते और रामचंद्र को भी समुन्द्र
की अनुनय विनय करने की जरुरत
नही पड़ती । वैसे सर एक बात और
पूछूँ ?
अध्यापक : पूछो ।
पप्पू : सर सुना है । समुन्द्र पर पुल बनाते समय वानरों ने पत्थर
पर राम राम लिखा था जिससे पत्थर पानी पर तैरने लगे
थे ।
अध्यापक : हाँ तो ये सही है ।
पप्पू :सवाल ये है बन्दर भालुओं को पढ़ना लिखना किसने सिखाया
था ?
अध्यापक : हरामखोर बंद कर अपनी बकवास और
मुर्गा बन जा ।😰🐓😱😱😜
*************************