Monday, September 5, 2016

05-09-2016

જૈન પર્યુષણ નિમિતે અેક કવિતા.. .

વીત્યા વરસમાં મેં ઘણાને દૂભવ્યા હશે... 😔
કોઈ નયન મારા થકી ભીનાં થયાં હશે... 😢

મારા થકી ઘવાયું હશે કોઈનું સ્વમાન ...😏
ક્યારેક હું ફર્યો હઈશ આપીન જબાન .... 🤔

ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હઈશ... 😛
ન બોલવાનું કેટલું બોલી ગયો હઈશ... 🙄

નહીં મળવાના મેં બહાનાઓ કાઢયા હશે હજારો.. 🤗
બીજાના દુ:ખનો મેં નહીં કીધો હશે વિચાર... 😇

કોઈને માથે ઊભો હઈશ હું બનીને બોજ ...😁
કોઈના નીચાજોણામાં લીધી હશે મેં મોજ ... 😬

કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા વખાણ.... 👌🏻
અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેચતાણ.... 😳

આજે રહી રહીને બધું યાદ આવે છે... 🤒
નીતર્યા હૃદયના દ્વારથી એક સાદ આવે છે... 👍🏻💓

કહી દઉં કે કેટકેટલી ભૂલો કરી છે મેં... 💞
મનમાં અહંમની કેવી દિવાલો ચણી છે મેં... 💔

માફી તમારી માંગતા લાગે છે બહુ શરમ... 😴
આથી જ કહું છું દૂરથી  "મિચ્છામી દુક્કડમ" 👏🏻

એને સ્વીકારજો તો બધે મહેંક થઇ જશે.... 🙏🏻🌹💐
મારા જીવન પર આંસુનો અભિષેક થઇ જશે 😊😊
********************
ક્ષમાપના

મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

સુખી-શ્રીમંતો, ધનવાન સાથે નિર્ધનને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

સગાં-સંબંધી ને મિત્રોને સાથે શત્રુને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

ગુરુઓ ને સંતોને વંદન કરીને, શ્રદ્ધાથી કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

જીવનમાં જયારે તોફાન આવે, પ્રભુજીને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

જાણ્યે-અજાણ્યે કોઇ મન દુભાવે, તો એને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

વાણી પછી એનું વર્તન જરૂરી, નહીં તો નિરર્થક છે: મિચ્છામિ દુક્કડમ્.

મોહ ને માયામાં જીવન ફસાયું, મુક્તિનો મારગ છે: મિચ્છામિ દુક્કડમ્.

આ તો તપસ્યાનું પહેલું ચરણ છે, અગ્નિ-પરીક્ષા છે: મિચ્છામિ દુક્કડમ્.

જીવનમાં ડગલે ને પગલે છે કાંટા, છે ફૂલ સુંદર: મિચ્છામિ દુક્કડમ્

બે શબ્દ નાના, મહિમા છે મોટો, મહાવીરની વાણી છે: મિચ્છામિ દુક્કડમ્.

ક્ષમા યાચવામાં સંકોચ શાને? કલ્યાણકારી છે: મિચ્છામિ દુક્કડમ્.

દિવ્ય ધ્વનિનો નાદ ગજાવો. સૌ સાથે બોલો: મિચ્છામિ દુક્કડમ્.

મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

- અરવિંદ કરસનદાસ રૂખાણા
*******************************