Saturday, October 12, 2013

12-10-2013

"સત્યથી ઉજ્જ્વળ વધુ કંઈ નથી, પ્રેમથી વધારે મોટું કોઈ તીરથ નથી, આત્મજ્ઞાનથી મોટો કોઈ સંબંધ નથી અને ભક્તિથી મોટો કોઈ પરમાનંદ નથી.

સોમાંથી એક શૂરવીર જન્મે છે, હજારમાંથી એક વિદ્વાન જન્મે છે, દસ હજારમાંથી એક વક્તા જન્મે છે, પણ દાતા તો જન્મે કે ના પણ જન્મે!

તદ્દન સાધારણ વસ્તુ હોય, પણ તે મેળવવી જો અશકય બની જાય તો તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.

પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકે નથી.’-જાનકીનાથ બોઝ